PM Kisan Yojana eKYC | ખેડૂતોને 28 ફ્રેબુઆરી પહેલાં eKYC કરવું પડશે | જાણો પ્રોસેસ

By | February 14, 2023

PM Kisan Yojana eKYC: પ્રધાનમંત્રી યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 12 હપ્તા સુધી સહાય ચૂકવાઈ ગયેલ છે. આગામી 13 માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan Yojana 13th Installment માટે આગોતરું આયોજન થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં ખેડૂત મિત્રોઓએ PM Kisan Yojana eKYC Process Online ફરજિયાત કરવું પડશે.

PM Kisan Yojana E-KYC 2023

યોજનાનું નામપીએમ કિસાન યોજના
યોજના ક્યારે શરુ થઇ?February 24, 2019
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
વેબસાઈટhttps://pmkisan.gov.in/

PM કિસાન યોજના 2023

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની સહાય આપવામાં આવે છે. આગામી તેરમા હપ્તાની સહાય ચૂકવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ પહેલા સહાય મેળવતા તમામ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી કરવાનું રહેશે. (PM Kisan Yojana eKYC) એટલે તમામ લાભાર્થીઓએ આધાર લીંક અને સિડિંગ કરાવવું જરૂરી છે. આ આધાર લીંક કરવાની પ્રોસેસ ખેડૂતો ઓનલાઇન જાતે પણ કરી શકે છે. તથા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કરાવી શકાશે.

ખેડૂતોને 28 ફ્રેબુઆરી પહેલાં eKYC કરવું પડશે

જે લાભાર્થીઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં જો આધાર -KYC અને આધાર સિડિંગ બેંક ખાતું કરાવ્યું નહીં હશે તો તેવા લાભાર્થીઓને આગામી હપ્તો મળવાપાત્ર થશે નહીં. ખેડૂત લાભાર્થીઓ નજીકની તાલુકા પોસ્ટ ઓફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં આધાર સિડિંગ સાથે કોઈપણ પ્રકારનું ફોર્મ ભર્યા વગર નવું બેંક ખાતુ ખોલાવી શકે છે અને આ યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે.

આ માટે દરેક પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ ઝુંબેશરૂપે જિલ્લાના ગામ-વાર કેમ્પો ગોઠવી કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે માટે લાભાર્થીનું આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ વ્યક્તિની પોતાની હાજરી હોવી જરૂરી છે. જે કોઈ લાભાર્થીઓને આ PM Kisan Yojana eKYC અને આધાર સિડિંગ બાબતે કોઇપણ જાતની મુશ્કેલી હોય તો ગામના ગ્રામ સેવક, કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.

અહીં સંપર્ક કરો

  • પીએમ કિસાન (ટોલ ફ્રી નંબર): 18001155266
  • પીએમ કિસાન (હેલ્પલાઇન નંબર): 155261
  • પીએમ કિસાન (લેન્ડ લાઇન નંબર): 011-23381092, 23382401
  • પીએમ કિસાન (નવી હેલ્પલાઇન): 011-24300606, 0120-6025109
  • પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): [email protected]

PM કિસાન યોજનાનું eKYC કેવી રીતે કરવું

ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે PM Kisan Yojana eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • Step-1 સૌથી પહેલાં ભારત સરકારના PM KISAN PORTAL પર જાઓ.
  • Step-2 આ પોર્ટલ પર Home Page પર Farmer Corner પર જાઓ.
  • Step-3 આ Farmer Corner માં પ્રથમ નંબરે જ e-KYC પર ક્લિક કરો.
  • Step-4 હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • Step-5 આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • Step-6 તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • Step-7 ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • Step-8 ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • Step-10 છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

PM Kisan યોજનાનો લાભ લેવા માટે આ રીતે નોંધણી કરો

સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતો PM કિસાન યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન પોતાની નોંધણી કરાવી શકે છે.

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે https://pmkisan.gov.in/ પર જાઓ.
  • કિસાન કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

મહત્વની લિન્ક

eKYC ઓનલાઈન કરવા માટે : અહીં ક્લિક કરો