વિદ્યાસહાયક ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

By | September 26, 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : શ્રી શકિત સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ સંચાલીત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા. ગાંધીનગર ની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ આશ્રમશાળાઓ માટે “વિદ્યાસહાયક”ની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ ભરૂચ જિ. ભરૂચના પત્ર ક્રમાંક : મક/આવિ/એન.ઓ.સી./૨૦૨૨-૨૩/૧૯૬૨ થી ૬૭ તા. ૧૫-૦૯-૨૦રર પત્રથી જગ્યાઓ ભરવા અંગેની મંજૂરી મળતા, જાહેરાતમાં જણાવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ માહિતી નીચે મુજબની છે.

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2022

સંસ્થાનું નામઆશ્રમશાળા કાંટીપાડા તા. નેત્રંગ, જિ. ભરૂચ
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા01
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 22/09/2022 )
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત : બી.એ.બી.એડ/ પી.ટી.સી.
  • વિષય : અંગ્રેજી/ ગુજરાતી
  • રીમાકર્સ : અપર પ્રાથમિક વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ
  • જાતિ : બિન અનામત

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

  • ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડયાના પ્રમાણપત્રથી લઇને સંપૂર્ણ જરૂરી તમામ લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એ.ડી. થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે.
  • રાજ્ય સરકાર દ્વારા અપર પ્રાથમિક વિભાગનાં વિદ્યા સહાયકની નિમણૂંક માટે નક્કી થયેલ ટેટ-૨ પરીક્ષા પાસ હોવી જોઇએ. તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
  • વિદ્યા સહાયકને પ્રતિ માસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિકસ પગાર ચુકવવામાં આવશે.
  • અનુ.જનજાતિ આશ્રમશાળા હોય, સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારા ધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે આશ્રમશાળાના સ્થળે રહેવું ફરજીયાત છે. વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલા ઉમેદવારને ર૪ કલાક આશ્રમશાળાના સ્થળ પર રહી ફરજ બજાવવા માટે, કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ ગુ.રા. ગાંધીનગર ના તારીખ ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.
  • ઉમેદવારે અરજીની એક નકલ મે. આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા જિ. નર્મદા એમ.વી.રોડ, જિલ્લા સેવાસદન રાજપીપળા ખાતે મોકલવાની રહેશે. નોંધ : તમામ પ્રમાણપત્ર રજુ ન કરેલ અરજી તેમજ અધુરી વિગત વાળી અરજીઓ દફતરે કરવામાં આવશે.

અરજી મોકલવાનું સરનામું

પ્રમુખશ્રી/મંત્રીશ્રી – શકિત સેવા મંડળ, ભરૂચ. રર, ભૃગુપુર સોસાયટી, કસક, ભરૂચ – ૩૯૨૦૦૧.

આશ્રમશાળા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 22/09/2022)

મહત્વપૂર્ણ લિંક

આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી : અહીં ક્લિક કરો