
શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત શાળાઓમાં સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GSTES Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી |
પોસ્ટનું નામ | શિક્ષક |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 19 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 19 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://eklavya-education.gujarat.gov.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ઘ્વારા 19 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 મે 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
વિષયો
મિત્રો, GSTES અંતર્ગત એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા મોડેલ સ્કૂલમાં અલગ અલગ વિષયો માટે ભરતી કરવામાં આવી રહી છે જેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
ગુજરાતી | જીવ વિજ્ઞાન |
ગણિત | મનોવિજ્ઞાન |
વિજ્ઞાન અને ટેક્નોલોજી | તત્વજ્ઞાન |
સામાજિક વિજ્ઞાન | સમાજશાસ્ત્ર |
અંગ્રેજી | ભૂગોળ |
હિન્દી | ગણિત (અંગેજી માધ્યમ) |
સંસ્કૃત | વિજ્ઞાન અને ટેક્નોલોજી (અંગેજી માધ્યમ) |
ભૌતિક વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન (અંગેજી માધ્યમ) |
રસાયણ વિજ્ઞાન | અંગ્રેજી (અંગેજી માધ્યમ) |
પગાર ધોરણ
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,650 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે .
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. GSTES દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.
લાયકાત
મિત્રો, GSTES ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
કુલ ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ દરેક શાળામાં દરેક વિષય માટે 1-1 શિક્ષકની ભરતી કરવામાં આવે તો પણ કુલ જગ્યા 54 જેટલી થાય છે. ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- તમે કયા વિષય માટે અરજી કરવા માંગો છો તેની માહિતી
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે ફક્ત રજીસ્ટર એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
- અરજી મોકલવાનું સ્થળ પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મુ.પો.તા. ખેડબ્રહ્મા, જિલ્લો- સાબરકાંઠા, પિન કોડ નંબર – 383270 છે.
મહત્વની લિંક
નોકરીની જાહેરાત માટે : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે : અહીં ક્લિક કરો