ચાસવડ આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી.

By | September 6, 2022

ચાસવડ આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 2022 : કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ (સરકાર માન્ય) તા.નેત્રંગ જી.ભરૂચ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે,

ચાસવડ આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 2022

સંસ્થાનું નામકસ્તુરબા સેવાશ્રમ, મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ (સરકાર માન્ય) તા.નેત્રંગ જી.ભરૂચ
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા01
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 06/09/2022)
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત : ધો-૧૨, પી.ટી. સી ભાષાઓ
  • રીમાકર્સ : પ્રાથમિક વિભાગની | ટેટ(TET) પરીક્ષા પાસ
  • જાતિ : અનુ.જનજાતિ (ST)

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • પ્રાથમિક વિભાગ તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિધાસહાયકો માટે નક્કી થયેલ શિક્ષક યોગ્ય પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ) (ટેટ) (પ્રાથમિક વિભાગ માટેની) અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
  • જગ્યા અનામત વર્ગની નિયત થયેલ હોય તો, જે તે અનામત ની જગ્યા મુજબ (અનુ.જાતિ, અનુ.જન જાતિ અને શા.શૈ. પછાત વર્ગ) જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નક્લ સામેલ કરવાની રહેશે. (અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર રાજ્યની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરાવવાની રહેશે.)
  • મે.ગુ.સ. આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: અમશ/૨૦૧૯/૩૦૪/ઘ સચિવાલય ગાંધીનગર તા.૦૬/૦૬/૨૦૧૯ થી નક્કી થયેલ જીલ્લા કક્ષાની પસંદગી સમિતિ રહેશે, તેમજ સરકારશ્રીની વખત વખતનીસુચના અનુસારની રહેશે.
  • વિધા સહાયકને સરકારશ્રીના નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારથી નિમણૂંક કરવામાં આવશે.
  • ઉમેદવારે પાસ કરેલ તમામ લાયકાત ખાસ કરીને સ્નાતક, અનુસ્નાતક, બી.એડ, પી.ટી.સી. જેવી લાયકાત એન.સી.ટી.ઈ તથા યુ.જી.સી. દ્વારા માન્ય સંસ્થાઓ તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ.
  • ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગના આશ્રમશાળાઓના ધારા-ધોરણ મુજબ ફરજીયાત આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવાનું રહેશે. અને તેઓને રહેઠાણની સુવિધા વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે. મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની રહેશે.
  • મુંબઈ પ્રાથમિક શિક્ષણ ૧૯૪૯ ના નિયમ ૭૦, ૧૦૬(૨) ૧૧૨(૨) (ગ) મુજબના નિયમો લાગુ પડશે.
  • ઉમેદવારે નિયત લાયકાત કરતા વધારાની લાયકાત મેળવેલ હોય તો તે પણ અરજી સાથે સામેલ રાખી ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અરજીઓ મળે તે રીતે રજી.પો.એડી થી વ્યવસાયિક લાયકાતનાં ગુણપત્રકોની પ્રમાણિત નકલ સહીત સ્વ હસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી, આશ્રમશાળાની કચેરી, જીલ્લા સેવાસદન રાજપીપળા જી.નર્મદા ને મોકલી શકશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકશ્રી, કસ્તુરબા સેવાશ્રમ મરોલી, પો.મરોલી સ્ટેશન, તા.જલાલપોર જી.નવસારી પીન નં.-૩૯૬ ૪૩૬

આશ્રમશાળા ચાસવડ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 06/09/2022 )

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાત : અહીં ક્લિક કરો