જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023: ભારતના તમામ રાજયોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય માં ધોરન ૬ મા એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ ૬ મા પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગયેલ છે. આ પોસ્ટમા આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ, નવોદય ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક, નવોદય પરીક્ષા જુના પેપરો, નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશન, અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરુરી માહિતી મેળવીશુ.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023
પરીક્ષાનુ નામ | જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ |
પરીક્ષા આયોજન | નવોદય વિદ્યાલય સમિતિ |
પ્રવેશ ધોરણ | ધોરણ ૬ |
પરીક્ષા તારીખ | ૨૯ એપ્રીલ ૨૦૨૩ |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
પરીક્ષા માધ્યમ | ગુજરાતી/હિન્દી/અંગ્રેજી |
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર
ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2011 થી 30/04/2013 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24
વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
- દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
- રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ
- ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023
અરજી શરૂ તારીખ | 2-1-2023 |
અરજી છેલ્લી તારીખ | 31-1-2023 |
પ્રવેશ પરીક્ષા તારીખ | 29-4-2023 |
નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ
- જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનો ફોટો
- વાલીની સહિ
- વિદ્યાર્થીની સહિ
- આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર
નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ અગત્યની લીંક
ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન PDF : અહિંં ક્લીક કરો
નવોદય પ્રવેશ પરીક્ષા સૂચનાઓ ડીટેઇલ PDF : અહિંં ક્લીક કરો
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટ : અહિંં ક્લીક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક : અહિંં ક્લીક કરો